Bahadur Rajkumar ane Soneri Safarjan - 1 in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1

The Author
Featured Books
Categories
Share

બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1

આ એક સદીઓ જૂની લોકવાયકા

તુર્કી કાલ્પનિક વાર્તા છે.

સદીઓ અગાઉ...

જ્યારે રાક્ષસો, ડ્રેગન અને મોટા પક્ષીઓ જેવા જીવો આ ધરતી પર વસવાટ કરતા, ત્યારની આ વાર્તા છે. ત્યારે રાજાઓનું શાસન હતું.

ધરતીના એક ખૂણે 'તુરકી' નામનો દેશ આવેલો છે. એક રાજા તેના ત્રણ રાજકુમારો સાથે રહેતો હતો. રાજા બહુ સારો હતો અને તેના રાજ્યમાં બધા સુખી હતા. રાજા પાસે એક દિવ્ય ઝાડ હતું, જે તેના મહેલના પાછળના મોટા બગીચાના મધ્યમાં હતું. બગીચાની પાછળ એક જંગલ પણ હતું. તે તરફ જવાની રાજાએ બધાને સખત મનાઈ કરી હતી, કારણ કે ત્યાંના જંગલમાં ખતરનાક જંગલી પ્રાણીઓ રહેતા હતા.

રાજાના બગીચામાં એક અદ્ભુત સફરજનનું વૃક્ષ હતું, જે દર વર્ષે ત્રણ સોનેરી સફરજન આપતું.

---

સફરજન અને રાક્ષસ...

પરંતુ, મારી વાર્તા જ્યાંથી શરૂ થાય છે ત્યાં સુધી, રાજા કે તેના પરિવારમાંથી કોઈએ આ ઝાડનું ફળ ચાખ્યું ન હતું.

"આપણે ક્યારેય આ સોનેરી સફરજન કેમ ખાતા નથી?"

એક દિવસ, ફળ પાકી રહ્યું હતું ત્યારે, રાજાના ત્રણ રાજકુમારોએ પિતાને પૂછ્યું.

"કારણ કે," રાજાએ જવાબ આપ્યો,

"જેમ જેમ ફળ પાકે છે, એક રાક્ષસ સતત ત્રણ રાતે આવે છે અને દરરોજ એક સફરજન લઈ જાય છે."

"જો એવું હોય," યુવાનોએ કહ્યું,

"તો અમે ત્રણેય વારે વારે ઝાડને જોઈશું અને રાક્ષસને આપણું ફળ લઈ જવા દઈશું નહીં."

રાજાએ કહ્યું,

"મારા પુત્રો, તમારી ઈચ્છા પ્રમાણે કરો અને ભગવાન તમારી રક્ષા કરે."

---

પહેલી રાત...

સાંજે સૌથી મોટો રાજકુમાર સફરજનના ઝાડની નજીક બગીચામાં સંતાઈ ગયો અને રાક્ષસના દેખાવની રાહ જોતી રહ્યો.

મહેલની ઘડિયાળે મધ્યરાત્રિના ડંકા વાગ્યા ત્યારે તેણે ગાર્ડનના પથરીને કચડી નાખતા ભારે પગલાની અવાજ સાંભળી. સિપાહીઓની બૂમો પડી. મોટો રાજકુમાર ગભરાઈ ગયો અને, તેના પગ ઉઠાવી શકે તેટલી ઝડપથી ભાગી ગયો.

સવારે, જ્યારે તેના ભાઈઓએ પુછ્યું કે રાક્ષસ સાથે શું થયું, ત્યારે તેણે કહ્યું:

"કોઈ રાક્ષસ ન હતો! મેં મધ્યરાત્રિ સુધી જોયું, પણ કશું સાંભળ્યું કે જોયું નહીં. હવે તો રાક્ષસ ફરી નહિ આવે. ચાલો આપણે પોતે આ સફરજનનો સ્વાદ લઈએ."

પરંતુ જ્યારે રાજા ઝાડને જોવા ગયો, ત્યારે તેણે જોયું કે ફક્ત બે સફરજન બચ્યાં હતાં, અને ઝાડની આજુબાજુનું ઘાસ અને વનસ્પતિ કચડી નાખવામાં આવ્યું હતું.

---

બીજી રાત...

બીજા દિવસે બીજો રાજકુમાર ચોકી રાખવા ગયો. પણ તે પણ તેના ભાઈ જેટલો બહાદુર સાબિત થયો નહીં. સવારે, ઝાડ પાસે ફક્ત એક સફરજન બચ્યું હતું.

---

ત્રીજી રાત...

હવે ત્રીજી સાંજે, સૌથી નાનો રાજકુમાર ગયો. તેણે પોતાને છુપાવ્યું નહીં, પણ સફરજનના ઝાડની નીચે ઘાસ પર સૂઈ રહ્યો અને રાહ જોતા રહ્યો.

રાત્રે તેણે રાક્ષસની ગર્જના સાંભળી. પણ એ બહાદુર યુવક જરાય ડરાયો નહીં. જેમ જ તેણે ઝાડ પાસે કચડવાનો અવાજ સાંભળ્યો, તે તરત કૂદ્યો અને રાક્ષસ તેના નજીક આવે એ પહેલા જ બરછીએ ઘા માર્યો – અને રાક્ષસની એક આંખ ઘાયલ થઈ ગઈ.

રાક્ષસ ભયાનક રીતે ગર્જના કરી જમીન પર પડ્યો, પણ પછી ઊભો થયો અને જંગલ તરફ દોડી ગયો.

---

સવાર...

પ્રિન્સ સવાર સુધી ત્યાં જ રહ્યો. ત્યારબાદ, સફળતાથી સંતુષ્ટ થઈને ઘરે સૂવા ગયો.

સવારે, ભાઈઓએ પૂછ્યું,

"શું તમે રાક્ષસને ઘા કર્યો?"

નાના રાજકુમારે જવાબ આપ્યો,

"હું સમજું છું કે મેં તેને લગભગ મારી નાખ્યો છે. એક કામ કરો, તમે તમારી બરછીઓ લઈને મારા સાથે બગીચામાં આવો."

બંને ભાઈઓ ઠેકડી ઉડાવતા ગયા. પણ જ્યારે તેઓ સફરજનના ઝાડ પાસે પહોંચ્યા, ત્યારે જોઈ શક્યું કે જમીન ચારેય બાજુ લોહીથી લાલ થઈ ગઈ હતી. લોહીનો લાંબો લીસોટો દર્શાવે છે કે ઘાયલ રાક્ષસ કયા રસ્તે ગયો હતો.

---

જંગલ તરફ...

નાનાભાઈએ કહ્યું,

"ચાલો, આપણે આ લીસોટાની પાછળ જઈએ. એ પાછળના જંગલ તરફ જાય છે. જો આપણે પીછો કરીશું તો જરૂરથી એ પ્રાણી મળશે. કદાચ તે મરી પણ ગયું હોય."

એ પછી ત્રણે રાજકુમાર જંગલ તરફ ગયા. ત્યાં એક અંધારા, ડરામણા કુવામાં લોહીના નિશાન દેખાયા. નાનો રાજકુમાર તેના ભાઈઓને કહ્યું:

"શક્યતાએ આ પ્રાણી આ કુવામાં ગયું છે. ચાલો આપણે અંદર જઈએ."

પણ મોટો ભાઈ બોલ્યો:

"આમાં ઉતરશું કેવી રીતે? આ તો ખુબ ઊંડો લાગે છે."

નાનાભાઈએ કહ્યું:

"હું તમારી કમર પર દોરડું બાંધીશ. અમે બન્ને દોરડું પકડીશું. તમે 'હાલહાલ' બોલશો તો નીચે ઉતારશું અને 'ખેચખેચ' કહેશો તો ઉપર ખેંચી લેશું."

---

આગળ આવનાર ભાગ માટે તૈયાર!

પછી શું થયું? રાક્ષસ મળ્યો કે નહીં? ત્રણે ભાઈઓનું ભવિષ્ય કઈ દિશામાં વળ્યું?

To be continue....